ઉગ્ર
સૂર્યના ઉગ્ર કિરણો લઇ ચંદ્ર શીતળતા વરસાવે છે,
એ જ ઉગ્ર કિરણો ને સમુદ્ર શોષી લઇ ખારું જળ પોતાની પાસે રાખી મીઠું પાણી મોકલે છે.ઉંચા પર્વત પરથી ધોધરૂપે પડતો પાણીનો ઉગ્ર પ્રવાહ મેદાની પ્રદેશમાં મંથર ગતિ ધારણ કરી ઉપકારક સ્વરૂપ લે છે. આમ કુદરત ઉગ્રતાને ઉપકારક બનાવવા નો માર્ગ દર્શાવતી રહી છે.
વર્ષા શાહ
લખ્યા તારીખ 10/6/20
Comments
Post a Comment